વાવની મહેંક ન્યૂઝ વેબ વાવ
તા 10/08/2024
પાલનપુર તાલુકાના ગોઢ ખાતે ક્ષત્રિય સમાજના P S I થી P I તરીકે પ્રમોશન થતાં સત્કાર સમારોહ યોજાયો
આજ રોજ પાલનપુર તાલુકાના ગોઢ ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ક્ષત્રિય સમાજ ના પોલીસ અધિકારીઓ p s i થી P I તરીકે પ્રમોશન થતાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સન્માન સમારોહ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના આદરણીય શ્રી દિપસિંહ જી માલપુરા ના અધ્યક્ષ સ્થાને સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં પી એસ આઈ શ્રીઓને પી આઈ તરીકે પ્રમોશન મળેલ તેમાં શ્રી એમ કે ઝાલા તથા શ્રી પી એન જાડેજા તથા શ્રી પી એચ જાડેજા તથા શ્રી જે જી સોલંકી તથા શ્રી એલ જે વાળા તથા શ્રી એલ પી રાણા તમામ ક્ષત્રિય સમાજ બધુઓનુ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં P I શ્રી એમ કે ઝાલા દ્વારા સમાજ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરતાં પોતે જણાવ્યું હતું કે આપણા સમાજમાં જેના માં બાપ ના હોય અને તેમની પરિસ્થિતિ ના હોય તેવા વિદ્યાર્થીને ભણવાનો શિક્ષણ માટે ખર્ચ હુ ઉઠાવીશ આવી સમાજ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી જેમાં આ સમારોહમાં ઉપસ્થિત દિપસિંહ જી માલપુરા કપિલેશ્વર મહાદેવ મહંત શ્રી હરિદ્વાર પુરી મહારાજ તથા પ્રવિણસિંહ ચૌહાણ બુકણા તથા પ્રવિણસિંહ ચૌહાણ માલપુરા તથા વિરેન્દ્રસિંહ ચૌહાણ કોઠાસણા તથા ડો મહેન્દ્રસિંહ ચૌહાણ ચૌહાનગઢ તથા દેવિસિંહ જી ડાભી તથા રણજીતસિંહ ડાભી ડાભેલા તથા કિરણસિંહ ચૌહાણ ચૌહાનગઢ તથા મુલરાજસિંહ ડાભી ધોરી તથા વિજયસિંહ ચૌહાણ સિવિલ જજ તથા અભેસિંહ ડાભી પાવઠી જોરાવરસિંહ ડાભી પાવઠી ઉતમસિંહ ડાભી ડાભેલા મલસિંહ ડાભી હાથીદરા વિક્રમસિંહ વાઘેલા મોટીભાખર દેવુભા વાઘેલા ભડથ શક્તિસિંહ ડાભી ડાભેલા જમરસિંહ વાઘેલા રામનગર મનુસિંહ ચૌહાણ હસનપુર અનેક નામિ અનામિ જાગીરદાર સમાજ ના આગેવાનો તથા સમસ્ત જાગીરદાર પરિવાર ગોઢ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ બાય
વાવની મહેંક ન્યૂઝ વેબ સાઈટ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583